જાનકી વન
ગુજરાતમાં આવેલું બહુ આયામી વન
જાનકી વન એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ભિનાર ગામ ખાતે આવેલ એક બહુ આયામી વન છે.
આ વનનું સંચાલન ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ વન પર્યાવરણ-સુરક્ષા, વન્ય સમૃધ્ધિનું જતન-સંવર્ધન, પર્યટન સ્થળ, વન્ય ઔષધિ-ઉછેર વગેરે હેતુથી સ્થાપવામાં આવેલ છે. તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબેન દ્વારા ૬૬માં રાજય વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે[૧] ૧પ.૬૬ હેકટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા રાજયના ૧૨મા સાંસ્કૃતિક વન તરીકે જાનકી વનનું લોક-સમર્પણ બીજી ઓગસ્ટ,૨૦૧૫ના દિવસે કરવામાં આવ્યું હતું. આ વન ચીખલી-સાપુતારા રાજય ધોરી માર્ગ પર ઉનાઇ રોડના ત્રિભેટે આવેલ છે. આ વન વિવિધ પ્રકારની જંગલી વનસ્પતિઓ ઉપરાંત માહિતી કેન્દ્ર, આદિવાસી ઝૂંપડી, બાલવાટિકા પણ આવેલ છે.[૨][૩]
સંદર્ભો
બાહ્ય કડીઓ
- જાનકી વન વિષયક માહિતી અને તસ્વીરો સંગ્રહિત ૨૦૧૭-૦૮-૦૯ ના રોજ વેબેક મશિન
73°20′E / 20.80°N 73.34°E
🔥 Top keywords: