ભગવતીકુમાર શર્મા
ભારતીય ગુજરાતી ભાષાના લેખક અને પત્રકાર
ભગવતીકુમાર શર્મા (૩૧ મે ૧૯૩૪ – ૫ સપ્ટેમ્બર ૨૦૧૮) ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. તેમણે નવલકથા, ટૂંકી વાર્તાઓ, કવિતાઓ અને વિવેચન ક્ષેત્રે કાર્ય કર્યું છે. તેમને ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
ભગવતીકુમાર શર્મા | |
---|---|
ભગવતીકુમાર શર્મા મુંબઈ ખાતે, ૧૯૯૯ | |
જન્મનું નામ | ભગવતીકુમાર હરગોવિંદ શર્મા |
જન્મ | ભગવતીકુમાર હરગોવિંદ શર્મા 31 May 1934 સુરત, ગુજરાત, ભારત |
મૃત્યુ | 5 September 2018 સુરત | (ઉંમર 84)
વ્યવસાય | લેખક, પત્રકાર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | બી.એ. |
નોંધપાત્ર સર્જન |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
સક્રિય વર્ષો | ૧૯૪૮ - ૨૦૧૮ |
જીવનસાથી | જ્યોતિબહેન (લ. 1953; તેણીના મૃત્યુ સુધી 2009) |
સહી |
જીવન
તેમનો જન્મ ૩૧ મે ૧૯૩૪ના રોજ સુરતમાં હરગોવિંદભાઇ અને હીરાબેનને ત્યાં થયો હતો. તેમણે ૧૯૫૦માં માધ્યમિક શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યું પણ ત્યાર પછી અભ્યાસ છોડી દીધો હતો. પાછળથી ૧૯૬૮માં તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાઓમાં સ્નાતકની પદવી મેળવી હતી.[૧][૨]
તેઓ ૧૯૫૫માં ગુજરાત મિત્રના સંપાદન વિભાગમાં જોડાયા. તેઓ ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ રહ્યા હતા.[૧]
૫ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ સુરત ખાતે તેમનું અવસાન થયું હતું.[૩]
સર્જન
તેમનું સર્જન નીચે પ્રમાણે છે:[૧][૨][૪]
નવલકથા
- અસૂર્યલોક (૧૯૮૭) (સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા)
- ઊર્ધ્વમૂલ (૧૯૮૧)
- સમયદ્વીપ
- આરતી અને અંગાર (1956)
- વીતી જશે આ રાત?
- રિક્તા
- ના કિનારો ના મઝધાર (1965)
- વ્યક્તમધ્ય
નવલિકા
- દીપ સે દીપ જલે (1959)
- હૃદયદાનં (1961)
- રાતરાણી (1963)
- છિન્ન ભિન્ન (1967)
- અડાબીડ (1985)
- વ્યર્થ કક્કો - છળ બારાખડી (1979)
- તમને ફુલ દીધાનું યાદ (1970)
- મહેક મળી ગઈ (1965)
નિબંધ
- શબ્દાતીત
- બિસતંતુ
અન્ય
- સંભવ (છંદો)
- પાંદડાં જેનાં (કાવ્ય સંગ્રહ)
- ઉજાગરો (કાવ્ય સંગ્રહ)
- સરળ શાસ્ત્રીજી (જીવન ચરિત્ર)
- નિર્લેપ (ભાગ-૧,૨,૩,૪) (હાસ્ય લેખો)
- સાત યુગોસ્લાવ વાર્તાઓ (અનુવાદ)
- આષાઢનો એક દિવસ નામના (અનુવાદ)
- શ્વાસ ઉચ્છ્વાસ (સંપાદન)
- ગની દહીંવાળા અભિનંદન ગ્રંથ (સંપાદન)
પુરસ્કાર
- ૧૯૭૭માં કુમાર સુવર્ણ ચંદ્રક
- ૧૯૮૪માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક
- ૧૯૮૮માં અસૂર્યલોક નવલકથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર[૧][૪][૫]
- ૧૯૯૯માં તેમને નચિકેતા પુરસ્કાર પણ મળ્યો હતો.[૬]
- ૧૯૯૯માં તેમને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ડી.લિટ્ટની પદવી એનાયત થઇ હતી.[૭]
- ૨૦૦૩માં તેમને કલાપી પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૧માં તેમને પત્રકારત્વ માટે હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર અને સાહિત્યમાં યોગદાન માટે વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર મળ્યો હતો.[૮][૯]
- ૨૦૦૫માં તેમના પુસ્તક સુરત મુજ ઘાયલ ભૂમિ માટે નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો.
- ૨૦૧૭માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યો હતો.[૬]
સંદર્ભ
બાહ્ય કડીઓ
- ભગવતીકુમાર શર્મા ગુજલિટ પર.
- ભગવતીકુમાર શર્મા ગુગલ બુક્સ પર.
🔥 Top keywords: