સ્વામી સચ્ચિદાનંદ
ગુજરાતના સંત, લેખક
સ્વામી સચ્ચિદાનંદ ગુજરાતના જાણીતા સંત અને લેખક છે.
સ્વામી સચ્ચિદાનંદ | |
---|---|
સ્વામી સચ્ચિદાનંદ, દંતાલી આશ્રમ ખાતે, નડીઆદ, ૨૦૦૬ | |
જન્મ | નાનાલાલ મોતીલાલ ત્રિવેદી April 22, 1932 મોટી ચંદુર, ગુજરાત |
વ્યવસાય | સંત, લેખક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર પુરસ્કારો | નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૮૪) પદ્મભૂષણ (૨૦૨૨) |
સંબંધીઓ | મોતીલાલ (પિતા) |
વેબસાઇટ | |
www |
જીવન
તેમનો જન્મ ૨૨ એપ્રિલ, ૧૯૩૨ ના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પદવી મેળવી હતી. સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ તેમનાં ગુરુ છે.
તેમનો શ્રી ભક્તિ નિકેતન આશ્રમ[૧] ગુજરાતના દંતાલી ગામ ખાતે આવેલો છે.
સર્જન
મારા અનુભવો (૧૯૮૫) અને વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો (૧૯૮૫) એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે. ભારતીય દર્શનો (૧૯૭૯), સંસાર રામાયણ (૧૯૮૪), વેદાન્ત સમીક્ષા (૧૯૮૭) વગેરે અધ્યાત્મ અને સંસ્કૃતિવિષયક ગ્રંથો છે.
સન્માન
- નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૮૪) - મારા અનુભવો માટે.
- પદ્મભૂષણ (૨૦૨૨)[૨]
સંદર્ભ
બાહ્ય કડીઓ
વિકિમીડિયા કોમન્સ પર સ્વામી સચ્ચિદાનંદ સંબંધિત માધ્યમો છે.
🔥 Top keywords: