સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર ગુજરાતનાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલું શહેર છે, જે જિલ્લાનું મુખ્યમથક છે. તેને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર પણ કહેવામા આવે છે.
સુરેન્દ્રનગર | |||||||
— શહેર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°43′12″N 71°38′58″E / 22.720132°N 71.649536°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | સુરેન્દ્રનગર જિલ્લો | ||||||
નજીકના શહેર(ઓ) | વઢવાણ | ||||||
નગર નિગમ | સુરેન્દ્રનગર નગરપાલિકા | ||||||
વસ્તી • ગીચતા | ૧,૭૭,૮૫૧[૧] (૨૦૧૧) • 3,952/km2 (10,236/sq mi) | ||||||
લિંગ પ્રમાણ | ૯૧૯ ♂/♀ | ||||||
સાક્ષરતા | ૮૪.૮% | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ | 45 square kilometres (17 sq mi) • 98 metres (322 ft) | ||||||
કોડ
|
સુરેન્દ્રનગર ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં સહુથી વધારે શૈક્ષણીક સંસ્થાઓ ધરાવતુ બીજા ક્રમનું શહેર છે.[સંદર્ભ આપો] સુરેન્દ્રનગર અને વઢવાણ લગભગ જોડીયા શહેરો ગણાય છે.
ઇતિહાસ
હાલનું સુરેન્દ્રનગર આઝાદી પહેલા બ્રિટીશ પોલીટીકલ એજન્ટનું થાણું હતું અને વઢવાણ કેમ્પ તરીકે જાણીતું હતું. વઢવાણના રાજવીને એજન્ટે ૧૯૪૬માં સોંપેલા આ કેમ્પને રાજવી સુરેન્દ્રસિંહજીના નામ ઉપરથી સુરેન્દ્રનગર નામ અપાયું. ૧૯૪૮થી સુરેન્દ્રનગર જિલ્લાનું મુખ્ય મથક બની રહ્યું છે. અગાઉના સમયમાં અંગ્રેજોનો કેમ્પ આ શહેરમાં રહેતો હોવાથી આ શહેરને કાંપ પણ કહે છે.
ભૂગોળ
આ શહેર ભોગાવો નદીના કિનારા પર વસેલું છે.
વહીવટ
સુરેન્દ્રનગર શહેરનો વહીવટ નગરપાલિકા દ્વારા થાય છે.