સરસ્વતી દેવી
સરસ્વતી દેવી હિંદુ ધર્મના દેવી-દેવતાઓમાંની મુખ્ય દેવીઓમાંથી એક ગણાય છે.[૧][૨] ઋગ્વેદના સમયમાં દેવી સરસ્વતી નદીની દેવી હતી. સરસ્વતી માતા તરીકે વિશેષત: સરસ્વતી નદી માટે કહેવામાં આવે છે. સરસ્વતી એ બ્રહ્મા અને બ્રહ્મણીની પુત્રી જ્ઞાનયજ્ઞ દ્વારા જ્ઞાનઅંશ તરીકે પ્રગટ થયેલા કહેવાય છે.
સરસ્વતી | |
---|---|
જ્ઞાન, સંગીત, કળા અને શિક્ષણના દેવી | |
ત્રિદેવીના સભ્ય | |
સરસ્વતી માતા, રાજા રવિ વર્માનું ચિત્ર. | |
અન્ય નામો | સાવિત્રી, ગાયત્રી, વાણી, વર્ણેશ્વરી, વિદ્યાદાત્રી, વીણાવાદિની, વાગ્દેવી, હંસવાહિની |
જોડાણો | દેવી, ત્રિદેવી, મહાસરસ્વતી |
રહેઠાણ | સત્યલોક |
મંત્ર | ॐ ऐं महासरस्वत्यै नमः , ૐ એં સરસ્વત્યૈ નમ: |
પ્રતીક | સફેદ રંગ, વીણા, પુસ્તકો, સરસ્વતી નદી અને વેદ |
વાહન | હંસ અથવા મોર |
ઉત્સવો | વસંત પંચમી અને નવરાત્રીનો સાતમો દિવસ |
દેવી
સરસ્વતી માતાને સાહિત્ય, સંગીત, કળાની દેવી માનવામાં આવે છે. આ દેવીમાં વિચારણા, ભાવના તથા સંવેદનાનો ત્રિવિધ સમન્વય છે. એમનાં હાથમાંનાં પ્રતિકો વીણા સંગીતનું, પુસ્તક વિચારણાનું અને મયૂર વાહન કલાની અભિવ્યક્તિ કરે છે. લોક ચર્ચામાં સરસ્વતી દેવી શિક્ષાની દેવી માનવામાં આવે છે. શિક્ષણ સંસ્થાઓમાં વસંત પંચમીને સરસ્વતી માતાનો જન્મ દિન સમારોહ પૂર્વક મનાવવામાં આવે છે. પશુને મનુષ્ય બનાવવા માટેનું - આંધળાને નેત્ર મળવા નો શ્રેય આપવામાં આવે છે. મનનથી મનુષ્ય બને છે. મનન બુદ્ધિનો વિષય છે. ભૌતિક પ્રગતિનું શ્રેય બુદ્ધિ-વર્ચસ્વને આપવાનું અને એને સરસ્વતી દેવીના અનુગ્રહ તરીકે માનવાનું ઉચિત પણ છે. આ ઉપલબ્ધિ વગર મનુષ્યને નર-વાનરની જેમ વનમાનવ જેવું જીવન વિતાવવાની ફરજ પડે છે. શિક્ષણની ગરિમા-બૌદ્ધિક વિકાસની આવશ્યકતા જન-જનને સમજાવવાને માટે સરસ્વતી પૂજા કરવાની પરંપરા છે. આ પ્રકારાન્તરને માટે ગાયત્રી મહાશક્તિ અંતગર્ત બુદ્ધિ પક્ષની આરાધના કરવી જોઇએ.