બનાસકાંઠા જિલ્લો
બનાસકાંઠા ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે. પાલનપુર તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો અંબાજી (યાત્રાધામ), ડીસા (બટાકા માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરા ઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે. બનાસ નદી ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે.
બનાસકાંઠા જિલ્લો | |
---|---|
જિલ્લો | |
સમઘડી દિશામાં ડાબે-ઉપરથી:: કીર્તિ સ્તંભ, અંબાજીમાં ગબ્બરનું મંદિર, મોકેશ્વર બંધ, વડગામમાં ખેતર, મગરવાડાનું મણિભદ્રવીરનું મંદિર | |
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
સ્થાપના | ૧ મે, ૧૯૬૦ |
મુખ્યમથક | પાલનપુર |
સરકાર | |
• જિલ્લા કલેક્ટર | આનંદ પટેલ[૧] |
વિસ્તાર | |
• કુલ | ૧૨,૭૦૩ km2 (૪૯૦૫ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૨] | |
• કુલ | ૩૧,૨૦,૫૦૬ |
• ગીચતા | ૨૩૩/km2 (૬૦૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિન્દી, અંગ્રેજી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (સમયવિસ્તાર) |
વાહન નોંધણી | GJ-08 |
વેબસાઇટ | banaskantha |
ભૂગોળ
જિલ્લાનો કુલ વિસ્તાર ૧૨,૭૦૩ ચોરસ કિલોમીટર છે અને તે રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ બીજો ક્રમ ધરાવે છે.
મુખ્ય નદીઓ
પર્વતો
- અરવલ્લી
- જેસોરની ટેકરીઓ
હવામાન
બનાસકાંઠા વિષમ હવામાન ધરાવે છે. આબોહવા એકંદરે સૂકી છે. ઉનાળામાં સખત ગરમી અને ઉત્તરે આવેલા રણને કારણે શિયાળામાં સખત ઠંડી પડે છે.[૩] ભૌગોલિક રીતે બનાસકાંઠાનો ઉતર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. જયારે મઘ્ય ભાગ સપાટ અને રેતાળ છે. પશ્ચિમનો ભાગ કચ્છના રણનો વિસ્તાર છે તે ખારો પ્રદેશ છે.
વન્યજીવન
બનાસકાંઠામાં બે અભયારણ્યો બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય અને જેસોર રીંછ અભયારણ્ય આવેલા છે.
તાલુકાઓ
બનાસકાંઠા જિલ્લો ૧૪ તાલુકાઓમાં વિભાજીત કરવામાં આવ્યો છે.
વસ્તી
વર્ષ | વસ્તી | ±% p.a. |
---|---|---|
૧૯૦૧ | ૪,૩૭,૦૭૨ | — |
૧૯૧૧ | ૪,૧૮,૪૫૦ | −0.43% |
૧૯૨૧ | ૪,૪૦,૮૯૧ | +0.52% |
૧૯૩૧ | ૪,૭૭,૩૪૧ | +0.80% |
૧૯૪૧ | ૫,૪૮,૭૩૭ | +1.40% |
૧૯૫૧ | ૬,૯૬,૩૬૭ | +2.41% |
૧૯૬૧ | ૮,૯૯,૯૮૯ | +2.60% |
૧૯૭૧ | ૧૧,૪૬,૧૫૯ | +2.45% |
૧૯૮૧ | ૧૫,૧૪,૧૨૧ | +2.82% |
૧૯૯૧ | ૧૯,૮૧,૫૧૩ | +2.73% |
૨૦૧૧ | ૨૫,૦૪,૨૪૪ | +1.18% |
૨૦૧૧ | ૩૧,૨૦,૫૦૬ | +inf% |
સંદર્ભ:[૪] |
૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાની વસ્તી ૩૧,૧૬,૦૪૫[૨] વ્યક્તિઓની છે, જે મંગોલિયા દેશની વસ્તી સમાન છે[૫] અથવા અમેરિકાના આયોવા રાજ્ય જેટલી છે.[૬] દેશના કુલ ૬૪૦ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ તેનો ક્રમ ૧૧૧મો આવે છે.[૨] ૨૦૦૧-૧૧ના દાયકા દરમિયાન વસ્તી વધારાનો દર ૨૪.૪૩% રહ્યો હતો.[૨] બનાસકાંઠા જિલ્લામાં જાતિ પ્રમાણ ૯૩૬ અને સાક્ષરતા દર ૬૬.૩૯% છે.[૨]
રાજકારણ
વિધાનસભા બેઠકો
મત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
૭ | વાવ | ગેનીબેન ઠાકોર | કોંગ્રેસ | ||
૮ | થરાદ | શંકર ચૌધરી | ભાજપ | ||
૯ | ધાનેરા | માવજી દેસાઇ | અપક્ષ | ||
૧૦ | દાંતા | કાંતિભાઇ ખરાડી | કોંગ્રેસ | ||
૧૧ | વડગામ (SC) | જીજ્ઞેશ મેવાણી | કોંગ્રેસ | ||
૧૨ | પાલનપુર | અનિકેત ઠાકર | ભાજપ | ||
૧૩ | ડીસા | પ્રવિણ માળી | ભાજપ | ||
૧૪ | દિયોદર | કેશાજી ચૌહાણ | ભાજપ | ||
૧૫ | કાંકરેજ | અમૃતજી ઠાકોર | કોંગ્રેસ |
લોકસભા બેઠક
બનાસકાંઠામાં એક લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.
જાણીતા વ્યક્તિઓ
- ચંદ્રકાંત બક્ષી - ગુજરાતી લેખક.
- હરીભાઇ ચૌધરી - રાજ્ય કક્ષાના ગૃહમંત્રી અને સંસદ સભ્ય
- બી. કે. ગઢવી - ભૂતપૂર્વ સંસદ
- પ્રણવ મિસ્ત્રી - સંશોધક, સેમસંગ રીસર્ચ અમેરિકાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ
- રણછોડદાસ પગી - ભારતીય સૈન્યના પગી
- ગૌતમ અદાણી - ભારતીય ઉદ્યોગપતિ
- માવજીભાઈ દેસાઈ - ચેરમેન, APMC ડીસા
- ગેનીબેન ઠાકોર - વાવ ધારાસભ્ય
જોવાલાયક સ્થળો
- અંબાજી - યાત્રાધામ.
- બાલારામ - બાલારામ નદીના કિનારે આવેલું સ્થળ.[૭] અહીં શિવમંદિર અને બાલારામ પેલેસ આવેલો છે, જે નવાબના મહેલમાંથી હોટેલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. બાલારામની નજીક બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય આવેલું છે.
- વિશ્વેશ્વર - મહાદેવ મંદિર અને પર્યટન સ્થળ.
- નડાબેટ- નડેશ્વરી માતાનું મંદિર અને સીમા દર્શન [૮]
- ઢીમા - ધરણીધર મંદિર
- આનંદ ધામ - એટા
- શેણલમાતા મંદીર - માંગરોળ
- તુલસી ધામ - નારોલી
- કુંભારિયાનાં દેરા - કુંભારિયા
- ગેળા હનુમાન - ગેળા
- જબરેશ્વર મહાદેવ મઠ, જાવલ - ગુલાબભારથી અને સુખથીભારથી મહારાજની જીવંત સમાધિ.
- શ્રી અગિયારમુખી હનુમાનજી મંદિર - ભુરીયા.
- નીલકંઠ મહાદેવ, લોદરાણી.
આ પણ જુઓ
સંદર્ભ
બાહ્ય કડીઓ
- ગુજરાતી વિશ્વકોશમાં બનાસકાંઠા જિલ્લો.
- બનાસકાંઠા જિલ્લા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૨૦-૧૧-૧૪ ના રોજ વેબેક મશિન