ઓગસ્ટ ૨૦

તારીખ

૨૦ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૫૮ – ચાર્લ્સ ડાર્વિને સૌ પ્રથમ લંડનની લિનેન સોસાયટીની જર્નલ ઓફ ધ પ્રોસિડિંગ્સમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા ક્રમિક વિકાસનો સિદ્ધાંત (ઉત્ક્રાંતિવાદ) પ્રથમ વખત પ્રકાશિત કર્યો.
  • ૧૯૬૦ – સેનેગલ માલી ફેડરેશનથી અલગ થઈ સ્વતંત્ર બન્યું.
  • ૧૯૬૨ – એનએસ સવાન્નાહ, વિશ્વના પ્રથમ પરમાણુ સંચાલિત નાગરિક જહાજે તેની પ્રથમ સફર શરૂ કરી.
  • ૧૯૯૫ – ફિરોઝાબાદ રેલ દુર્ઘટનામાં ૩૫૮ લોકોના મોત નીપજ્યા.

જન્મ

  • ૧૮૯૬ – ગોષ્ઠ પાલ, (Gostha Pal) ભારતીય ફૂટબોલર (અ. ૧૯૭૬)
  • ૧૯૩૨ – ચંદ્રકાંત બક્ષી, ગુજરાતી લેખક ‍(અ. ૨૦૦૬‌)
  • ૧૯૪૧ – રાજીવ ગાંધી, ભારતના ૬ઠ્ઠા વડાપ્રધાન ‍(અ. ૧૯૯૧‌)
  • ૧૯૪૩ – નરેશ કનોડિયા, ગુજરાતી ચલચિત્ર અભિનેતા (અ. ૨૦૨૦)
  • ૧૯૪૬ – એન. આર. નારાયણ મૂર્તિ, ભારતીય ઉદ્યોગપતિ, ઇન્ફોસિસના સહ-સ્થાપક

અવસાન

  • ૧૯૮૪ – અવિનાશ વ્યાસ, ભારતીય સંગીત નિર્દેશક, ગીતકાર અને ગુજરાતી ગાયક (જ. ૧૯૧૨)
  • ૨૦૧૩ – નરેન્દ્ર દાભોલકર, ભારતીય લેખક અને કાર્યકર્તા (જ. ૧૯૪૫)
  • ૨૦૧૪ – બી. કે. એસ. આયંગર, ભારતીય યોગ પ્રશિક્ષક અને લેખક, આયંગર યોગના સ્થાપક (જ. ૧૯૧૮)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: