યાયાવર પક્ષીઓ
પ્રવાસ કરતા પક્ષીઓ
ઠંડીથી બચવા અને ખોરાકની શોધ માટે પ્રવાસ કરતા પક્ષીઓને યાયાવર પક્ષીઓ કહેવાય છે.
ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાઓ પર નળ સરોવર, ખીજડીયા અને થોળ જેવાં પક્ષી અભયારણ્યોમાં તથા આવાં પક્ષીઓને આકર્ષિત કરતાં અન્ય સ્થળોએ ખાસ કરીને શિયાળાની ઋતુમાં જગતના અન્ય (ઠંડા, બર્ફિલા) ભાગોમાં રહેતાં પક્ષીઓ તેમના વતનમાં ઠંડીને લીધે ચારેકોર બરફ છવાઇ જવાથી ખોરાકનું મળવું મુશ્કેલ બનવાથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને દર વર્ષે આવે છે. પક્ષીઓના પ્રવાસને ઋતુ-પ્રવાસ કહે છે. ગુજરાતમાં આશરે ૨૦૦ જેટલી જાતિના યાયાવર પક્ષીઓની આવન-જાવન થતી રહે છે.
આ પણ જુઓ
બાહ્ય કડીઓ
🔥 Top keywords: