રોબર્ટ કોચ
જર્મન જૈવવૈજ્ઞાનિક
રોબર્ટ કોચ એક જર્મન વૈજ્ઞાનિક હતા, જેમને માઇક્રોબાયોલોજી ક્ષેત્રમાં યુગપુરુષ માનવામાં આવે છે. તેમણે કોલેરા, એન્થ્રેક્સ અને ક્ષય જેવા રોગો પર ઊંડો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં રોબર્ટ કોચ સાબિત કરવામાં સફળ થયા કે ઘણા રોગ સુક્ષ્મસજીવોને કારણે થાય છે. તે માટે ઈ. સ. ૧૯૦૫માં તેમને ચિકિત્સાક્ષેત્રમાં ઉમદા કાર્ય બદલ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.[૧] રોબર્ટ કોચે રોગો અને તેમના કારક સજીવની શોધ કરવા માટે કેટલીક પરિકલ્પનાઓ કરી હતી, જે આજે પણ વપરાશમાં છે.[૨]
રોબર્ટ કોચ | |
---|---|
Robert Heinrich Hermann Koch | |
જન્મ | Robert Heinrich Hermann Koch ૧૧ ડિસેમ્બર ૧૮૪૩ |
મૃત્યુ | ૨૭ મે ૧૯૧૦ Baden-Baden (જર્મન સામ્રાજ્ય) |
અભ્યાસ | Doctor |
જીવન સાથી | એમ્મી કોચ |
પુરસ્કારો | |
સહી | |
અગિયાર ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે ગૂગલના ડૂડલ પર આ જર્મન વૈજ્ઞાનિક ડૉ. રોબર્ટ કોચને સ્થાન આપવામાં આવ્યું હતું. તેમના જન્મ દિવસના સન્માનમાં તેમનું આ ડૂડલ બનાવવામાં આવ્યું હતું.[૩].
સંદર્ભો
🔥 Top keywords: