તાજિકિસ્તાન
તાજ઼િકિસ્તાન (ફ઼ારસી - تاجیکستان) મધ્ય એશિયા માં સ્થિત એક દેશ છે જે ચારોં તરફથી જ઼મીન થી ઘેરાયેલ (સ્થલવેષ્ઠિત) છે. પહેલાં તે સોવિયત સંઘ નો ભાગ હતો અને સોવિયત સંઘ ના વિઘટન પછી સન્ ૧૯૯૧માં આ એક દેશ બન્યો. ગૃહયુની કી મારઝીલી ચુકેલ (૧૯૯૨-૯૭) આ દેશની કૂટનીતિક-ભૌગોલિક સ્થિતિ ખૂબ મહત્વપૂર્ણ છે. આ ઉજ઼્બેકસિસ્તાન, અફ઼ગ઼ાનિસ્તાન, કિરગ઼િજ઼િસ્તાન તથા ચીન ની મધ્યમાં છે. આ સિવાય પાકિસ્તાન ના ઉત્તરી ક્ષેત્રો થી આને અફગ઼ાનિસ્તાનના બદખ્શાન પ્રાંતની પતલી પટ્ટી અલગ કરે છે.આની રાજધાની દુશામ્બે છે અને અહીંની ભાષાને તાજ઼િક કહે છે જે ફ઼ારસી ભાષાની બોલીના રૂપ માં ઓળખાય છે. આ ભાષાને સીરીલિક અક્ષરોંમાં લખાય છે જેમાં રૂસી તથા અમુક અન્ય ભાષાઓ લખાય છે.
નામોત્પતિ
એવું માનવામાં આવે છે કે તાજ઼િકિસ્તાન, જેનો ફારસી અર્થ થાય છે તાજ઼િકોં ની ભૂમિ, પામીરની ગાઁઠ ને 'તાજ' કહીને આ દેશ નું નામ રખાયું છે. જોકે આ મુગટ ને ફારસી ભાષા (યા તાજ઼િક ભાષા) માં ફક્ત તાજ કહે છે - તાજિક નહીં - તો આના ક શબ્દ ને સુન્દર બનાવવ માટે પ્રાચીન કાળ સાથે જોડાય છે. તાજિક શબ્દ નો પ્રયોગ ઈરાનિઓ (એટલેકે આર્યોં) ને તુર્કોં થી વિભક્ત કરવા માટે પ્રયોગ થતો આવ્યો છે બધાંને સમ્બોધિત કરવા માટે તાજ઼િક-ઓ-તુર્ક પદ નો ઉપયોગ થતો હતો.તાજ઼િક શબ્દ નો પ્રયોગ તાજિકિસ્તાન ના નિવાસિઓ માટે થતો આવ્યો છે પણ હવે આ સમ્બોધન પર વિવાદ થઈ રહ્યો છે. તાજિકિસ્તાનમાં મુખ્ય વસતિ તાજ઼િક નસ્લની છે, પણ ત્યાં ઉજ્બેક તથા રૂસી મૂળના લોકો પણ રહે છે. તેમનો મત છે કે તાજિકિસ્તાન ના લોકોને તાજિક કહેવાનો મતલબ છે કે 'તાજ઼િક મૂળ ના લોકો નો દેશ' જે તેમને સ્વીકાર્ય નથી.
ઇતિહાસ
અહીં માનવ વસવાટ ઈસુના 4000 વર્ષ પહેલાંથી રહ્યો છે. મહાભારત તથા અન્ય ભારતીય ગ્રંથોંમાં વર્ણિત મહાજનપદ કમ્બોજ તથા પરમ કમ્બોજ નું સ્થળ અહીં માનવામાં આવે છે. ઈરાન ના હખ઼ામની શાસનમાં સમ્મિલિત કરવાના સમયે અહીં બૌદ્ધ ધર્મ પણ આવ્યો હતો. આ સમયે બેબીલોનથી અમુક યહૂદી પણ અહીં આવી વસ્યાં હતાં . સિકન્દર ના આક્રમણના સમયે આ પ્રદેશ બચી રહ્યો. ચીનના હાન વંશ સાથે પણ આમના રાજનૈતીકક સમ્બન્ધ હતાં.સાતમી સદીમાં આરબોએ અહીં ઇસ્લામ નો પાયો નાખ્યો. ઈરાનના સામાની સામ્રાજ્ય એ અરબોને ભગાવી દીધાં અને સમરકંદ તથા બુખ઼ારા ની સ્થાપના કરી. આ બનેં શહેર હવે ઉજ્બેકિસ્તાન માં છે. તેરમી સદીમાં મંગોલોં ના મધ્ય એશિયા પર અધિકાર થતા તાજિક ક્ષેત્ર સૌથી પહેલા સમર્પણ કરવા વાળામાં થી એક હતું. અઢારમી સદી માં રૂસી સામ્રાજ્ય નો વિસ્તાર થઈ રહ્યો હતો અને ફ઼ારસી સામ્રાજ્યને દક્ષિણ તરફ પીછેહઠ કરવી પડી.૧૯૯૧ માં સોવિયત રશિયાથી સ્વાયત્તતા મળતાં જ આને ગૃહયુદ્ધોં ના કાળમાંથી પસાર થવું પડ્યું. ૧૯૯૨-૯૭ સુધી અહીંયા ફ઼િતને (ગૃહયુદ્ધ) ને લીધે દેશની અર્થવ્યવસ્થા ચોપટ થઈ ગઈ. ૨૦૦૮ માં આવેલ ભયંકર ઠંડીએ પણદેશને બહુ નુકસાન પહોંચાડ્યું.
ઢાંચો:CIS