મહેંદી નવાઝ જંગ
મહેંદી નવાઝ જંગ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ હતા.
મહેંદી નવાઝ જંગ | |
---|---|
જન્મ | ૨૩ મે ૧૮૯૪ Haidrabad |
મૃત્યુ | ૨૮ જૂન ૧૯૬૭ હૈદરાબાદ |
જીવન
તેમનો જન્મ ૧૪ મે, ૧૮૯૪ના દિવસે હૈદરાબાદ ખાતે થયો હતો અને અવસાન ૨૮ જૂન, ૧૯૬૭ના દિવસે હૈદરાબાદ ખાતે થયુ હતું. તેમણે હૈદરાબાદની સનદી સેવા ઉપરાંત વિવિધ સરકારી હોદ્દાઓ પર કામગીરી બજાવી હતી. ઈ.સ. ૧૯૩૭ થી ૧૯૪૨ દરમિયાન હૈદરાબાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી હતી. ઈ.સ. ૧૯૪૨માં વ્યાપાર અને ઉદ્યોગ ખાતાના સચિવ તરીકે ખૂબ જ પ્રશંસનીય કામગીરી તેમણે બજાવી હતી. ગુજરાત રાજ્યના સ્થાપના દિનથી એટલે કે ૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂંક થઇ હતી.
પુરસ્કારો
ઈ.સ. ૧૯૬૫માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્મારકો
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક સભાખંડનું નામ તેમના ઉપરથી મહેંદી નવાઝ જંગ હોલ આપવામાં આવ્યું છે.
🔥 Top keywords: મુખપૃષ્ઠરાશીવિશેષ:શોધગુજરાતમિઆ ખલીફાભારતનું બંધારણગુજરાતી ભાષાગુજરાતી અંકપૃથ્વીરાજ ચૌહાણગુજરાતના જિલ્લાઓઅમદાવાદનરેન્દ્ર મોદીભારતનો ઇતિહાસવૃષભ રાશીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોશ્રીમદ્ ભગવદ્ ગીતાભારતશ્રેણી:ગુજરાતનાં ગામોમહાત્મા ગાંધીગુજરાતીબીજું વિશ્વ યુદ્ધહમીરજી ગોહિલભારતીય જનતા પાર્ટીગુજરાત વિધાનસભાનરસિંહ મહેતાદ્વારકાકૃષ્ણમટકું (જુગાર)સ્વામી સચ્ચિદાનંદગુજરાતના મુખ્યમંત્રીઓપૃથ્વીઇસ્લામલોક સભાવલ્લભભાઈ પટેલગુજરાતી સાહિત્યકારોની યાદીવડોદરાસોમનાથવિકિપીડિયા:વિષેધનુ રાશી