ઘોઘા
ઘોઘા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનાં મહત્વનાં તાલુકા ઘોઘા તાલુકામાં આવેલું એક નગર છે અને તે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.
ઘોઘા | |||||
घोघा / Ghogha | |||||
— નગર — | |||||
અક્ષાંશ-રેખાંશ | 21°41′14″N 72°16′27″E / 21.687339°N 72.27406°E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | ભાવનગર | ||||
તાલુકો | ઘોઘા તાલુકો | ||||
ગ્રામ પંચાયત | ઘોઘા ગ્રામ પંચાયત | ||||
વસ્તી | ૧૨,૨૦૮[૧] (૨૦૧૧) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
કોડ
|
નામ
ઘોઘા નામ જાણીતા રાજપૂત યોદ્ધા ગોગોબાવાના નામ પરથી પડ્યું એવું મનાય છે. વધુમાં ઘોઘા નામ તેના દરિયાકાંઠે મળતા શંખ ગોગાલા પરથી પણ પડ્યું હોઇ શકે છે.[૨][૩][૪]
વસ્તી
ઇ.સ. ૧૮૭૨માં ઘોઘાની વસ્તી ૯૫૭૧ હતી.[૨]
૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ઘોઘાની વસ્તી ૧૨,૨૦૮ વ્યક્તિઓની હતી[૧].
બંદર
ઘોઘા અરબી સમુદ્રમાં આવેલા ખંભાતના અખાતના કિનારા પર વસેલું મહત્વનું બંદર છે અને અહીં એક દીવાદાંડી પણ આવેલી છે. ઘોઘા બંદરથી ભરૂચનાં દહેજ બંદરને જોડતી દહેજ ઘોઘા રો-રો ફેરી સેવા વર્ષ ૨૦૧૭ના એપ્રિલ મહિનાથી શરૂ થવાની હતી[૫] પરંતુ છેવટે ૨૨ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું[૬].
ઇતિહાસ
આરબ વેપારીઓ સૌ પ્રથમ ૭મી સદીની આસપાસ ઘોઘા બંદરે આવ્યા હતા અને એક મસ્જીદ બાંધી હતી. એ સમયે મુસ્લીમોમાં મક્કાને બદલે બૈતુલ મુકાદ્દાસ (હાલનું જેરુસલામ) તરફ મોં રાખીને નમાજ પઢવાની પ્રથા હતી. ઇ.સ. ૬૨૨થી ૬૨૪ના વર્ષ દરમ્યાન મદીના હીજરત કરતા પહેલા ૧૬થી ૧૭ મહીનાના ટૂંકા ગાળા માટે મહંમદ પયગંબર અને એમના અનુયાયીઓ જેરુસલામ તરફ ચહેરો રાખી નમાજ પઢતા હતા. આ મસ્જીદ પણ એ સમયમાં બંધાઈ હોવાને લીધે એેનો મહેરાબ મક્કાને બદલે જેરુસલામ તરફ છે. આ કારણે એમ કહી શકાય કે આ ભારતની જૂનામાં જૂની મસ્જીદ છે.[૭]
અન્ય
ગુજરાતી કહેવતો લંકાની લાડીને ઘોઘાનો વર અને હીરો ઘોઘે જઇ આવ્યો માં ઘોઘાનો ઉલ્લેખ જોવા મળે છે.